NEET, JEE Main 2020: મુલતવી રાખી પરીક્ષાઓ, HRD મંત્રાલયે નવી તારીખો કરી જાહેર

કોરોનાના વધતા કેસોને લઇ જેઇઇ મેન (JEE main) અને નીટ (NEET 2020) પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વીટ દ્વારા આપી હતી. જુલાઈમાં આયોજિત થનારી પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.
NEET, JEE Main 2020: મુલતવી રાખી પરીક્ષાઓ, HRD મંત્રાલયે નવી તારીખો કરી જાહેર

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસોને લઇ જેઇઇ મેન (JEE main) અને નીટ (NEET 2020) પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વીટ દ્વારા આપી હતી. જુલાઈમાં આયોજિત થનારી પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જેઇઇ મેનની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બરની વચ્ચે યોજાવાની હતી. જેઇઇ એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બરના અને નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બરના આયોજિત કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પરીક્ષાઓને મુલતવી રાખવાનો નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લીધો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારના કહ્યું હતું કે, જેઇઇ અને નીટ પરીક્ષાઓમાં બેસનાર વિધ્યાર્થી અને ઉમેદવારોથી હાલની પરિસ્થિતિ અને અનુરોધને જોતા, ડીજી એનટીએ અને અન્ય વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવી છે. જેમને સ્થિતિની સમીક્ષા કરી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને તેમની ભલામણો રજૂ કરવામાં કહેવામાં આવ્યું હતું.

તમને જણાવી દઇએ કે, NEET 2020 પરીક્ષા 26 જુલાઇ અને JEE મેન પરીક્ષાનું આયોજન 18થી 23 જુલાઇએ થવાનું છે. જો કે, દેશમાં કોરોનાના વધતા કેસને જોતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો સતત પરીક્ષા મુલતવી રાખવાની માગ કરી રહ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news