જે રીતે દિવસમાં સ્કીન કેર જરૂરી છે તે રીતે રાત્રે પણ સ્કીન કેર કરવી જરૂરી છે.
આખા દિવસની દોડધામ પછીનો થાક અને ધૂળ માટીને દૂર દૂર થાય તે માટે સ્કીન કેર રૂટીન ફોલો કરવું જરૂરી છે.
જો તમે રાત્રે કેટલીક વસ્તુઓને ચહેરા પર લગાડો છો તો તેનાથી ચહેરો સુંદર અને બેદાગ રહે છે.
જો રોજ રાત્રે સુતા પહેલા થોડું નાળિયેર તેલ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર ચમક રહે છે.
રાત્રે સુતા પહેલા ચહેરો સાફ કરીને એલોવેરા જેલ લગાડવું પણ ફાયદાકારક છે તેનાથી ત્વચા હેલ્ધી રહે છે
રોજ રાત્રે સુતા પહેલા કાચું દૂધ લગાડવાથી ચહેરા પરની ગંદકી દૂર થઈ જાય છે.
ઉનાળામાં રાત્રે ગુલાબજળ ત્વચા પર લગાડીને સુવાથી ચહેરા પર સોફ્ટનેસ અને ગ્લો વધે છે