રસોડામાંથી નાના-નાના કીડા હટાવવા માટે પાણીમાં લીમડાના તેલના કેટલાક ટીંપા સ્પ્રે કરો. તેની ગંધથી કીડા-મકોડા મરી જાય છે.
ફુદીનાના તેલનો સ્ક્રેમ કરી મકોડા, કીડી, વંદા ભાગી જાય છે. તેનાથી ઘરમાં પણ ખુશ્બુ બની રહે છે.
વંદાને દૂર રાખવા માટે તજનો ઉપયોગ કરી શકાય છે. કબાટમાં તેને રાખવાથી જીવ-જંતુ ભાગી જાય છે.
રસોઈ ઘરમાંથી કોકરોજને ભગાડવા માટે રાત્રે ડુંગળી કાપી તેના પર બેકિંગ સોડા લગાવી છોડી દો. આગામી દિવસે કોકરોજ મરેલા મળશે.
જો ઘરમાં કીડીઓથી પરેશાન છો તો રસોડાના દરેક ખુણામાં તજ પાઉડર છાંટી દો. તેની સુગંધથી કીડીઓ ગાયબ થઈ જશે.
માખીઓથી છુટકારો મેળવવા માટે તમારે રસોડામાં તુલસીનો છોડ કે પાંદડા રાખવા જોઈએ. તેની ગંધથી માખીઓ ભાગી જશે.
રસોઈમાંથી નાના કીડાઓને ભગાડવા માટે એપલ વિનેગરને છાંટી દો. તેની સુગંધથી નાના-મોટા કીડા ભાગી જાય છે.
ઘરમાં જીવજંતુઓ આવતા રોકવા માટે સૂર્યપ્રકાશ આવવો જરૂરી છે.
તમારા ઘરની ડ્રેનેજ પાઇપનું નિયમિત ચેકિંગ કરતા રહો. જો ત્યાં લીકેજ જોવા મળે તો તેને ઠીક કરાવી લો.
તમારા ઘર અને રસોડાને જીવજંતુઓથી દૂર રાખવા માટે નિયમિત સફાઈ જરૂરી છે.