આ વર્ષે 10 મે 2024 અને શુક્રવારે અક્ષય તૃતીયા ઉજવાશે. આ દિવસે સોનુ અને ચાંદી ખરીદવું શુભ ગણાય છે.
પૌરાણિક કથા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ કુબેર ભગવાનને ધનનો ભંડાર મળ્યો હતો.
અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી ધનની આવક વધે છે.
ધન લાભ માટે કુબેર ભગવાનને અક્ષય તૃતીયાના દિવસે કંકુ, ચંદન, ચોખા, અત્તર, લવિંગ, એલચી, સોપારી, આખા ધાણા, ફળ તેમજ ફૂલ અર્પણ કરો.
ભગવાન કુબેરની પૂજા કરી અને કુબેર ચાલીસાનો પાઠ પણ કરવો.
જો ઘરમાં કુબેર યંત્ર હોય તો અક્ષય તૃતીયાના દિવસે તેની પૂજા કરીને તેને તિજોરીમાં સ્થાપિત કરો
અક્ષય તૃતીયાના દિવસે ઓમ શ્રીં ઓમ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: મંત્રનો 108 વખત જાપ કરો
ભગવાન કુબેરની પૂજા કરી આ મંત્રનો જાપ કરનારના જીવનમાં ધનની ખામી સર્જાતિ નથી. ધન સતત વધતું રહે છે.