IFFCO ના ચેરમેન બન્યા ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી

ઇફકોના ચેરમેનના નિધન બાદ હવે સંસ્થાની જવાબદારી દિલીપ સંઘાણીને સોંપવામાં આવી છે. તેમને ઈફકોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. 

IFFCO ના ચેરમેન બન્યા ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી

અમદાવાદઃ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી (Dilip Sanghani) ને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ઇફકોના ચેરમેન બી.એસ.લકાઈનું મૃત્યુ થતાં કલમ 44ની જોગવાઈ પ્રમાણે વાઈસ ચેરમેનને આ જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે દિલીપ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન હતા. 

ખેડૂત નેતા છે દિલીપ સંઘાણી
ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ખેડૂતો માટે સતત કામ કરતા આવ્યા છે. તેઓ ઈફકોમાં ઘણા સમયથી વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવી રહ્યા હતા. દિલીપ સંઘાણીએ આ અંગે વાત કરતા કહ્યુ કે, ચેરમેન બીએસ લકાઈના નિધન બાદ કલમ 44ની જોગવાઈ મુજબ વાઇસ ચેરમેનને જવાબદારી સોંપવામાં આવે છે. એટલે મને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 

દિલીપ સંઘાણીએ કહ્યુ કે, અમિત શાહની હાજરીમાં ઈફકોના ચેરમેન તરીકે બી.એસ. લકાઈએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું. આજે તેમનો દીપ બુઝાઈ ગયો છે. એટલે કે ઇફકો બાયોલોજીની કલમ 44ની જોગવાઈ મુજબ ચેરમેનની જવાબદારી વાઈસ ચેરમેનને સોંપવામાં આવી છે, એટલે મને આ જવાબદારી મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news