MS Dhoni: શું રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જશે ધોની? મળ્યું છે ખાસ આમંત્રણ

Ram Mandir Ayohdya: રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી ખુબ જ જુજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં હવે ભારતીય ક્રિકેટના ઓલ ટાઈમ ગ્રેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ સામેલ થયું છે. જાણો વિગતવાર માહિતી...

MS Dhoni: શું રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જશે ધોની? મળ્યું છે ખાસ આમંત્રણ

MS Dhoni in Ram Mandir Ayodhya Ceremony : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશના 6000 થી વધુ લોકોને આમંત્રણ મોકલ્યા છે. 22 જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિર સમારોહમાં વિવિધ ક્ષેત્રની ઘણી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. તેમના સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અયોધ્યા પહોંચી શકે છે. ત્યારે આ નામી હસ્તીઓમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)ને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના પહેલા મહાન સચિન તેંડુલકર અને મહાન બેટ્સમેન વિરાટ કોહલીને પણ આ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એમએસ ધોની જેણે પોતાના પ્રદર્શનથી અને પોતાની સુઝબુઝથી ટીમને વર્લ્ડ કપ જેવા અનેક ખિતાબો જીતાડીને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને અનેવાર ઉજવણીનો અવસર આપ્યો છે. એવા મહેન્દ્રસિંહ ધોની હવે દેશની સૌથી મોટી ઉજવણીમાં મહેમાન બનીને જવાના છે. વાત છે અયોધ્યામાં થનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની. તેમને 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે અયોધ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહ તરફથી આ વિશેષ આમંત્રણ મળ્યું છે. તે આ સમારોહનો ભાગ બનશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

ધોનીને ખાસ આમંત્રણ મળ્યું-
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે આમંત્રિત કરાયેલા ખેલાડીઓની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સામેલ થઈ ગયો છે. એમએસ ધોની ઉપરાંત અનુભવી વિરાટ કોહલી, ભૂતપૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ અને મહાન સચિન તેંડુલકરને પણ આ શુભ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને આજે એટલે કે સોમવાર, 15 જાન્યુઆરીએ રાંચીમાં તેના નિવાસસ્થાને આમંત્રણ મળ્યું હતું.

ધોની અયોધ્યા જશે?
IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કપ્તાની સંભાળવા તૈયાર રહેલા ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-રાજ્ય સચિવ ધનંજય સિંહ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે ધોનીને ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રદેશ સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ પણ હાજર હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news